રાજકોટ
News of Thursday, 11th August 2022

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતી મંડળ દ્વારા શ્રાવણી પર્વની ઉજવણીઃ નૂતન યજ્ઞોપવિત

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતી મંડળ રાજકોટ દ્વારા આજે ધૂમકેતુ હરીગંગા હોલ (કાલાવડ રોડ)  ખાતે શ્રાવણી પર્વની ઉજવણી કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરેલ હતી આ વિધિમા આચાર્ય પદે જ્ઞાતિના શાસ્ત્રી  કૌશિકભાઈ હરજીવનભાઈ મહેતા હતા. આ શુભ પ્રસંગમાં બહોળી સંખ્યામાં જ્ઞાતીબંધુઓ હાજર રહેલ હતા. પ્રમુખ જનકભાઈ મહેતાની આગેવાનીમાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.તેમ માનદ મંત્રી વિપુલ દવે (વીવીપી)ની યાદીમાં જણાવાયું છે.

(4:31 pm IST)