તાજીયા કમીટી દ્વારા આગેવાનોનું સન્માન
મહોરમ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા શહેરભરમાં કલાત્મક અને રંગદર્શી તાજીયાનું નિર્માણ કરાયુ હતુ. જે ઝુલુસરૂપે વિવિધ વિસ્તારોમાં ફરેલ. આ તહેવારની કોમી એકતા સાથે ઉજવણી કરાઇ હતી. કોઠારીયાનાકા વિસ્તાર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મયેર ડો. દર્શીતાબેન શાહ, કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ શુકલ, ભાજપ અગ્રણીઓ જયંતભાઇ ઠાકર, હરેશ જોષી, અજય પરમાર, સંદીપ ડોડીયા, સુખદેવ ડોડીયા, જે. પી. ધામેચા, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અહેમદ ખુરશીદ, ડી.સી.પી. દેસાઇ, ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહીલ, એ.સી.પી. બસીયા, એ.સી.પી. રાઠોડ ,પી.આઇ. ધોળા, પી.આઇ. જાડેજા, પી.આઇ. જે. ડી. ઝાલા, પી.આઇ. શ્રી જોષી સહીતનાના મહેમાનોનું ફુલહાર કરી શીલ્ડ આપી સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શહેર તાજીયા કમીટીના પ્રમુખ અને ગુજરાત અલ્પસંખ્યક નાણા નિગમના પૂર્વ ડાયરેકટર આસીફ સલોત, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઇ શાહમદાર, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણ, મહામંત્રી વાહીદભાઇ સમા, રજાકભાઇ જામનગરી, મજીદભાઇ સમા, ઇલુભાઇ સમા, શાહનવાઝ સીદીકી, સમીર જસરાયા, મોહસીન બેલીમ, રાજુભાઇ દલવાણી, હારૂનભાઇ ગામેતી, તૌફીકભાઇ સમા, શંજીશભાઇ, રફીકભાઇ સહીતના લઘુમતી આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.