રાજકોટ
News of Thursday, 11th August 2022

જન્‍માષ્ટમી નિમિત્તે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

રાજકોટ, ૧૧ : જન્‍માષ્ટમી નિમિત્તે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

 દેવભૂમિ દ્વારકા ખાતે દર વર્ષે જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પમિ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

૧.  ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્‍સપ્રેસ માં ૧૩.૦૮.૨૦૨૨ થી ૨૧.૦૮.૨૦૨૨ સુધી ભાવનગર-ઓખા વચ્‍ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

૨.  ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્‍સપ્રેસ માં ૧૪.૦૮.૨૦૨૨ થી ૨૨.૦૮.૨૦૨૨ સુધી ઓખા-ભાવનગર વચ્‍ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

૩.  ટ્રેન નંબર ૦૯૪૭૯ રાજકોટ-ઓખા સ્‍પેશિયલ માં ૧૩.૦૮.૨૦૨૨ થી ૨૧.૦૮.૨૦૨૨ સુધી રાજકોટ-ઓખા વચ્‍ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.૪.  ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા-રાજકોટ સ્‍પેશિયલ માં ૧૪.૦૮.૨૦૨૨ થી ૨૨.૦૮.૨૦૨૨ સુધી ઓખા-રાજકોટ વચ્‍ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

(5:07 pm IST)