રાજકોટ
News of Thursday, 11th August 2022

રવિવારે રૂા.૧૦માં પાંચ હજાર પરિવારોને ખાદ્ય વસ્‍તુઓનું વિતરણ

જન્‍માષ્‍ટમી પર્વ નિમિતે સેવાકાર્ય કરતી સંસ્‍થા શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા ૩૩માં વર્ષે ભવ્‍ય દિવ્‍ય આયોજન : ૧ લીટર તેલ, ચણાનો લોટ, ખાંડ, મેંદાનો લોટ, ચોખાના પૌવા, મકાઈના પૌવા એમ કુલ ૬ વસ્‍તુઓનું વિતરણઃ સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી કેતનભાઈ પટેલ અને તેની ટીમ સેવા પૂરી પાડશે

રાજકોટઃ જન્‍માષ્‍ટમી પર્વ નિમિતે શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા સતત ૩૩માં વર્ષે પાંચ હજાર પરિવારો માટે  ફકત રૂા.૧૦માં ટોકન દરે જીવન જરૂરીયાતની ખાદ્ય વસ્‍તુઓ વિતરણ કાર્યક્રમ યોજાએલ છે.

સૌરાષ્‍ટ્રની જાણીતી સેવા સંસ્‍થા શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃશ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ છેલ્લા ૩૩ વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં અર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્‍યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્‍યે દવા સહાય, ઈમરજન્‍સી કેસ માટે લોહીની સહાય મહા રકતદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે નોટબુક તથા પુસ્‍તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્‍માષ્ટમી પર્વ નિમીતે ટોકન ભાવે ચીજ વસ્‍તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્‍યાન શહેરની ગરબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આર્થીક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્‍યે ભાડે આપવામાં આવે છે.

દર વર્ષે ઋષી પંચમી નિમીતે કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ દર વર્ષે માતાના મઢ ચાલીનેજતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, ૨૪ કલાક એમ્‍બ્‍યુલન્‍સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્‍ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા - ગૌસેવા સહિતની સુપ્રવળતિઓ સતત કરવામાં આવે છે. પ્રર્વતમાન કોરોનાની બીમારીના સમયમાં પણ ૬૦ હજાર જેટલા પ્રાંતીય મજુરો, બાળકો, માટે ટ્રેનની ટીકીટ વ્‍યવસ્‍થા, ભોજન વ્‍યવસ્‍થા, કિટ વ્‍યવસ્‍થા, દવાઓ વિગેરે માં પણ કાનુડા મિંડળ સતત ઉપયોગી બન્‍યું હતું. કોરોના સમયગાળા દરમ્‍યાન રાજકોટની મુખ્‍ય લગભગ તમામ સંસ્‍થાઓને કાનુડા મિત્ર મંડળ તન, મન, ધનથી ઉપયોગી બન્‍યું હતું હજાર દર્દીનારાયણ દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય, મેડીકલ સહાય સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી, જીવદયા- ગૌસેવાની પણ અનેકવિધ પ્રવળતિઓ કાનુડા મિત્ર મંડળ દ્વારા આ કાળમાં કરવામાં આવી છે.

શ્રી કાનુડા મિત્ર મંડળ તારા સતત ૩૩માં વર્ષે જન્‍માષ્ટમીના પવિત્ર પર્વને-ભગવાન કળષ્‍ણના જન્‍મોત્‍સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂીરયાતની ખાધ્‍ય વસ્‍તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટક મહંત શ્રી દેવપ્રસાદ સ્‍વામી, સ્‍વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ. તેમજ આ સેવા યજ્ઞમાં અમારા આમંત્રણને માન આપી ઉપસ્‍થિત રહેનાર દરેક મહાનુભવો તેમજ દરેક દાતાઓ અતિથી વિશેષ તથા મુખ્‍ય મહેમાન રહેશેશ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃ શ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્‍ય સેવાકીય પ્રવૃતિમાં ફકત રૂા. ૧૦ માં ૬ વસ્‍તુ તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઈના પૌવા ૫૦૦ ગ્રામ આપવામાં આવશે.

તા. ૧૪ રવિવારે સવાર ૭  થી ૧૦ કલાકે, ૩ ગુંદાવાડી, મથુરભાઈ રાજદેવ ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યુ છે. અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. એક વ્‍યકિત એક થી વધારે કાર્ડ સાથે લાવશે તે માન્‍ય રાખવામાં આવશે નહિ. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના વ્‍યકિતને જ વસ્‍તુ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

સમગ્ર આયોજન અંગે કાનુડા મિત્ર મંડળના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલના માર્ગદર્શનમાં ઉમેશ ભુત, હસમુખ કોબીયા, પરેશવોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્‍મીન કાકડીયા, મિેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેષ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, બકુલ મકવાણા, હિતેષ ડોબરીયા, પ્રદિપ અનડકટ, મનહરભાઈ પંડ્‍યા, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજનમાં ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો હર હંમેશનો સહયોગ મળતો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(5:09 pm IST)