રાજકોટ
News of Monday, 12th April 2021

ઝુલેલાલ સાંઇ અને ભગત કંવરરામનો કાલે સાથે જન્મોત્સવ : સાદગીથી ઉજવાશે

રાજકોટ,તા.૧૨: સીંધી સમાજના ઇસ્ટદેવ જુલેલાલ સાંઇનો જન્મ ૧૦૭૧ મો જન્મોત્સવ અને ભગત કંવરરામ સાહેબનો ૧૩૬ મો જન્મોત્સવ ૧૩ એપ્રિલને મંગળવારના છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે પણ આ વર્ષે કોરોનાની મહામારી હોવાથી સીધંી કોલોનીમાં જય ઝુલેલાલ મંદિરે સવારે ૧૦ વાગ્યે ઝુલેલાલ અને સંત કંવરરામ સાહેબનું કેક કાપીને આરતી-પંજડા, પલ્લવ, આરાધના કરશે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી દર્શન થશે. પછી બેરાણા સાહેબનું વિસર્જન થશે. મંદિરે પ્રસાદ અને સરબતનું વિતરણ થશે.

કોરોના મહામારીના કારણે દર્શનાર્થીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે જેમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખવવાનું રહેશે. સહુ પોત -પોતાના ઘરે પુજા કરવાની રહેેશે. તેમ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ અને સંતકંવરરામ સેવા સમિતિની યાદીમાં જણાવાયું છે.

(4:13 pm IST)