રાજકોટ
News of Monday, 12th April 2021

હોય...નહી...બગીચા બંધનો નિર્ણય માત્ર કાગળ પરઃ ગઇકાલે રેસકોર્સ સહિત કેટલાક બગીચા ખુલ્લા હોવાની ફરિયાદો

રાજકોટ : શહેરમાં કોરોનાં સંક્રમણ રોકવા રેસકોર્સ સહિતનાં બાગ-બગીચા બંધ કરી દેવાયા છે. પરંતુ આમ છતાં ગઇકાલે રવિવારે રજાનાં દિવસે રેસકોર્સ બગીચો અને સોરઠીયાવાડી સર્કલનો બગીચો, એરપોર્ટ રોડનો બગીચો વગેરે ખુલ્લા હોવાનું અને તેમાં સહેલાણીઓ હોવાની ફરીયાદ એક જાગૃત નાગરીકે કરી અને બગીચા બંધનો નિર્ણય માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ કર્યા હતો.

(4:13 pm IST)