News of Sunday, 13th June 2021
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે એકેય મોત થયુ નથી
સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 2 પૈકી એક પણ કોવીડ ડેથ નહિં
રાજકોટ: આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટ શહેર -જીલ્લામાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .12નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.13 સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના એક પણ દર્દીઓના મોત નિપજ્યા નથી.
ગઇકાલે 2 પૈકી એકપણ મૃત્યુ કોરોનાને કારણે ન થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.
શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 5567 બેડ ઉપલબ્ધ છે.
(9:15 pm IST)