રાજકોટ
News of Monday, 13th June 2022

રાજકોટ બાર એસો. દ્વારા આજે સાંજે વેલકમ જજીસ અને ૫૦ વર્ષની વકીલાતવાળા વકીલોનો સન્‍માન કાર્યક્રમ

રાજકોટ,તા. ૧૩: આજે બાર એસો. દ્વારા વેલકમ જજીસ અને એડવોકેટ ગોલ્‍ડન જયુબિલી કાર્યક્રમનું આજે સાંજે આયોજન કરાયું છે. જેમાં કર્ણાટકના ભૂતપૂર્વ રાજયપાલ અને રાજકોટ બારના કાયમી સભ્‍ય વજુભાઇ વાળા, અધિવક્‍તા અને મેયર ડો.પ્રદીપ ડવ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને એડવોકેટ જયેશ બોધરા ઉપસ્‍થિત રહેશે. બાર પ્રમુખ અર્જુનભાઇ પટેલ અને હોદ્દેદારો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ન્‍યાયમૂર્તિઓ અને સિનિયર એડવોકેટનું સન્‍માન કરાશે.

આ અંગે રાજકોટ બાર એસો. દ્વારા જણાવાયું છે કે, આજે તા. ૧૩-૬-૨૦૨૨ સોમવાર ના રોજ રાજકોટ બાર એસો. દ્વારા નવા આવેલા ન્‍યાયમૂર્તિઓને આવકારવા અને રાજકોટ બારમાં છેલ્લા ૫૦ વર્ષથી વકિલાત કરતા સિનિયર અધિવકતાઓનો સન્‍માનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં રાજકોટના તમામ ધારાશાષાીઓને આમંત્રણ આપાયું છે. સીવીલ કોર્ટ બિલ્‍ડિંગ ગ્રાઉન્‍ડમાં આ કાર્યક્રમમાં આજે સોમવારે સાંજે ૬થી૧૦ વાગ્‍યા દરમિયાન યોજાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અંગે બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્‍યાસ, જોઈન્‍ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ૨૨ જીતેન્‍દ્ર પારેખ, લાયબ્રે૨ી સેક્રેટરી સુમીત વોરા, કારોબા૨ી સભ્‍યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, નૈમીષ પટેલ, મહિલા કારોબારી સભ્‍ય ચેતનાબેન કાછડીયા, સહિત વકીલો જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:34 pm IST)