News of Friday, 13th November 2020
ઉદયનગરમાં કારખાનામાં ભીષણઆગ
રાજકોટ, તા. ૧૩ : શહેરના ઉદયનગર ૧ શેરી નં. ૧૩માં આવેલા લક્ષ્મી મેન્યુફેકચર નામના ઘરઘંટી બનાવવાના કારખાનામાં આગ લાગતા ફાયરબ્રીગેડ સ્ટાફે આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ ઉદયનગર-૧ શેરી નં. ૧૩માં આવેલા લક્ષ્મી મેન્યુ ફેકચર નામના કારખાનામાં એકાએક આગ લાગતા નાસ ભાગ મચી ગઇ હતી. શૈલેષભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફના જમાદાર મુબારકભાઇ તથા જયેશભાઇ, નારણભાઇ, અનીલભાઇ અને સંજયભાઇ સહિતે ફાયરફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ કારખાનામાં મશીનમાં લાગી હતી જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. બનાવની જાણ થતા કારખાનાના માલીક વિનોદભાઇ ઠુમ્મર દોડી આવ્યા હતા. આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
(2:57 pm IST)