News of Friday, 13th November 2020
એસ.ટી. બસોમાં દિવાળીનો ચિક્કાર ટ્રાફિકઃ ૪૦ બસ એકસ્ટ્રા મુકાઈઃ તંત્ર ખડેપગે
અમદાવાદ, સુરત, સોમનાથ, દિવ, ગોધરા માટે વધુ બસ દોડવાઈઃ ભૂજ-ઘોરડો માટે વોલ્વો બસ
રાજકોટ, તા. ૧૩ :. દિવાળીના તહેવારો દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લે - છેલ્લે એસ.ટી. બસમાં મુસાફરોનો ટ્રાફીક વધવા માટે સમગ્ર એસ.ટી. તંત્ર ખડેપગે રાખવામાં આવ્યુ છે.
આ અંગે રાજકોટ એસ.ટી. ડેપોના સૂત્રોએ જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન આજથી એસ.ટી. બસ માટે ચિક્કાર ટ્રાફીક નિકળી પાડયો છે. આથી ગોધરા, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, જામનગર, સોમનાથ દિવ, માટે ૪૦ એકસ્ટ્રા બસ દોડવાઈ છે.
જ્યારે ગઈકાલે પણ ૩૫ એકસ્ટ્રા બસ મુકવામાં આવી હતી. જ્યારે ભૂજ અને ઘોરડો માટે વોલ્વો બસ મુકવામાં આવી હતી.
આમ એસ.ટી. તંત્રને દિવાળીના તહેવારો ફળવાની આશા છે.
(3:32 pm IST)