News of Saturday, 13th November 2021
રાજકોટનાં વોર્ડ નં .8 યોગી નિકેતનમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા બે પુરુષો કોરોના સંક્રમિત: આરોગ્ય વિભાગ દોડી ગયું : કોન્ટેકમાં આવેલા લોકોના ટેસ્ટીંગ કરાયા : બંન્ને દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે
રાજકોટ : દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે . છેલ્લા સતત પાંચ દિવસથી દરરોજ કેસ સામે આવી રહ્યા છે ત્યાર આજે સાંજે શહેરના વોર્ડ નં .8 માં આવેલા યોગી નિકેતનમાં આવેલા એક જ એપાર્ટમેન્ટમાં બીજા અને ત્રીજા માળે રહેતા 56 અને 58 વર્ષનાં બે પુરુષ
કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડી ગયું છે . તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે . બન્ને સંક્રમિતોએ વેકસીનના બંને ડોઝ લીધા છે . શહેરમાં હાલ 13 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 42, 859 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે .
(9:02 pm IST)