News of Saturday, 13th November 2021
ઇન્દિરાનગરમાં રેખાબેન નાગોરા પર ઇન્દ્રસિંહ સહિતનો હુમલો
જુના મનદુઃખને લીધે માથાકુટ કરવામાં આવ્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૧૩: દેવપરા પાસે ઇન્દિરાનગરમાં સિંદુરીયા ખાણ પાસે રહેતાં રેખાબેન જગદીશભાઇ નાગોરા (ઉ.૩૭) નામના મહિલાને આનંદનગર ચોક પંચમુખી હોટેલ પાસે કરિયાણુ લેવા ગયા ત્યારે મારકુટ કરી છરીથી ઇજા કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.
રેખાબેનના કહેવા મુજબ અગાઉના મનદુઃખનો ખાર રાખી પોતાના પર ઇન્દ્રસિંહ જાડેજા, કૈલાસબેન જાડેજા અને હરદિપ તથા અજાણ્યાએ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ મુજબની પ્રાથમિક નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી.
(3:16 pm IST)