રાજકોટ
News of Saturday, 13th November 2021

ભુપેન્દ્રભાઇ પટેલે જાહેર કરેલ નિરામય યોજનાને આવકારતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૧૩: નિરામય યોજનાને આવકારતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે કે, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહેલ કે આ સરકાર શોષિત, પીડિત, ગરીબ અને કિસાનોની સરકાર છે અને તે કથનને સાબીત કરવા તરફ આજે સમગ્ર દેશ જઇ રહ્યો છે.

ભુપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સરકારે તેમાં પણ એક પગલું આગળ જઇને નિરામય ગુજરાત કે જેમાં ઘર ઘર જઇનેલોકોના આરોગ્યની ચિંતા કરવાનો નિર્ણય એ અતિ આવકારદાયક અને બિરદાવવા લાયક છે. તેનો સંપૂર્ણ અમલ થતા રોગ મુકત સમાજ બને તે દિશાના પગલાંને જનતા સહયોગ આપે અને રાજય સરકારના સ્વપ્નને સાકાર કરે તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.

(3:24 pm IST)