રાજકોટ
News of Saturday, 13th November 2021

ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા આહીર સમાજના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો : સોમવારથી પ્રવેશ કાર્ય શરૂ

રાજકોટ : આહીર સમાજના યુવા ભાઇ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે તેવા ધ્યેય સાથે રાજકોટમાં ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. પી.એસ.આઇ., એસ.એસ.આઇ., કોન્સ્ટેબલ, બીનસચિવાલય કલાર્ક જેવી પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોકડી નજીક, પરીશ્રમ સ્કુલ ખાતે કાર્યરત આ સંસ્થા દ્વારા નવા વર્ગનો આરંભ થવા જઇ રહ્યો હોય જોડાવા ઇચ્છક ઉમેદવારોએ તા. ૧૫ થી ૧૮ દરમિયાન સાંજે ૭ થી ૮.૩૦ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે. ૨૨ નવેમ્બરના સોમવારથી તાલીમ શરૂ થઇ જશે. વધુ માહીતી માટે મો.૯૫૫૮૩ ૩૭૭૬૨) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. 

(3:53 pm IST)