રાજકોટ
News of Friday, 14th May 2021

જુણેજા પરિવાર અને કટારીયા પરિવાર અને અગ્રણીઓએ ઘરમાં જ 'ઇદ'ની નમાઝ પઢી

રાજકોટ : કોરોના મહામારી કાળ વચ્ચે આજે ઉજવાયેલી ઇદ પ્રસંગે જેનું ખાસ મહત્વ છે તે ઇદની નમાઝ મુસ્લિમ અગ્રણી યુસુફભાઇ જુણેજા અને તેઓના પરિવારજનોએ ઘરમાં જ ઇદની નમાઝ પઢી ઇદ મનાવી હતી એ જ રીતે મુસ્લિમ અગ્રેસર હબીબભાઇ કટારીયા અને તેઓના પરિવારજનો - સ્નેહીજનોને નિવાસ સ્થાને ઇમામની અધ્યક્ષતમાં જ નમાઝ સંપન્ન કરી હતી. આ તકે બાળકોએ ઇદનો હર્ષ વ્યકત કરી ખુશી વ્યકત કરી હતી. અને મોટેરાઓએ દુઆઓ કરી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:03 am IST)