પવિત્ર જયોત સાથેની ક્ષત્રીય એકતા યાત્રાનું રાજકોટ કોંગ્રેસ દ્વારા સ્વાગત
રાજકોટઃ તા.૧લીથી માતાના મઢથી શરૂ થયેલી અને ૧૬મીના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપ્ત થનારી શ્રી રાજપુત કરણી સેના દ્વારા આયોજીત એકતા યાત્રા આજે રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ પરથી પસાર થઇ ત્યારે ઉમીયા ચોક, મવડી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી શ્રી અશોકસિંહ વાઘેલા, ડી.પી.મકવાણા, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહીલ, લક્કીરાજસિંહ જાડેજા, પુર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા (વાવડી), મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ રાજપુત, પુર્વ કોર્પોરેટર વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, જગદીશભાઇ સખીયા, મહેન્દ્રસિંહ જાડેજા (પીપળીયા પાળ),પુર્વ ડેપ્યુટી મેયર ભરતભાઇ મકવાણા, હિરલબેન રાઠોડ, પ્રફુલ્લાબેન રાઠોડ, મુકુન્દભાઇ ટાંક, જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઇ સાદડીયા સહીત વિશાળ સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કર્યુ ત્યારની તસ્વીર. યાત્રા ક્ષત્રીય સમાજમાં એકતા લાવવા અને રાજકીય શૈક્ષણીક ક્ષેત્રે જાગૃતી લાવવા તેમજ કુટેવોને તિલાંજલી આપવાના આશય સાથે નિકળી છે. આ યાત્રા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાના નેજા તળે ૧૮૦૦ કિલોમીટરનું લાંબુ અંતર પાર પાડવાની છે.