કાલે ૧૨ બટુકોને યજ્ઞોપવિત-૧ દીકરીના લગ્નઃ બ્રાહ્મણ સેવા સંગઠનનું આયોજન
રાજકોટઃ અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા ૧દિકરીના લગ્ન તથા ૧૨ બટુકોનના સમુહ જનોઇ (ઉપનયન સંસ્કાર) નું આયોજન તા.૧૫- રવિવારના યોજવામાં આવે છે.
ઢોલ નગારા સાથે શરણાઇના સુર સાથે સમુહ જનોઇનું અને લગ્નનું આયોજન થયું છે. આ અગાઉ ૫૧ બટુકોને જનોઇ, ચાર દિકરીના લગ્ન, ૪ બટુકોના સમુહ જનોઇનો કાર્યક્રમ યોજાયેલ. હવે તા.૧૫ના રવિવારેના રોજ ૧ દિકરીના લગ્ન તથા ૧૨ બટુકોના સમુહ જનોઇનો કાર્યક્રમ વિરાણી બહેરા-મુંગા શાળા, ઢેબરભાઇ રોડ, ગુરૂકુલની પાછળ, પાણીના ટાંકા પાસે, મુકામે યોજશે. જેમાં સવારે ૭ કલાકે ગણેશ સ્થાપનથી શરૂ કર્યા બાદ ગૃહશાંતિ અને બટુકોની કાશીયાત્રા નીકળશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના અગ્રણીઓ જે.ડી.ઉપાધ્યાય (અધ્યક્ષ), જયેશભાઇ જાની (એડવોકેટ અને નોટરી), જયુ અદા શાષાી, રાહુલભાઇ ક્ષોત્રીય,જયેશભાઇ જોષી, ભરતભાઇ પંડયા (ટ્રસ્ટી- ધારેશ્વર મહાદેવ ટ્રસ્ટ), બીપીનભાઇ ભટ્ટ, કમલેશભાઇ જોષી, રાજેશભાઇ શુકલ, લલીતભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ત્રિવેદી, વિમલભાઇ ત્રિવેદી, અમીતભાઇ શુકલ, મનીષભાઇ પંડયા, પરાગભાઇ હંઝ, જોશભાઇ ત્રિવેદી, દિલીપભાઇ પુરોહિત તેમજ મહિલા અગ્રણીઓના અધ્યક્ષ શ્રીમતી માધવીબેન જે. ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુકલ, હીમાબેન ઉપાધ્યાય, નિશાબેન પંડયા, ડો. નિલાબેન જે. જાની, જયશ્રીબેન ક્ષોત્રીય, ભાર્ગવી ભટ્ટ, ડો. જયોતીબેન જાની, પૂર્ણિમાબેન ત્રિવેદી, ઇલાબેન વ્યાસ, પલ્લ્વીબેન દવે, સુમનબેન ભટ્ટ, ડો. ક્રિષ્ના ત્રિવેદી, વૈશાલીબેન સદાવ્રતી, કિંજલ દવે વગેરે સહિત ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)