સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને યાદશકિત માટે કાજુ-બદામ આપતુ NSUI
રાજકોટ : યુનિવર્સિટીના સત્તાધીશોની યાદશકિત વધે તે અર્થે NSUIએ કાજુ બદામ આપી વિરોધ દર્શાવ્યો. NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સતાધીશોને વિદ્યાર્થીઓની વેદના, વ્યથા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા છે તે ભૂલીના જાય તે માટે કાજુ બદામ આપ્યા છે.આ સતાધીશો એ પણ ના ભૂલે કે યુનિ. વિદ્યાનું ધામ છે નહિ કે રાજકીય અખાડો ! NAACના મૂલ્યાંકનમાં ગ્રેડ ગગડ્યો હતો હવે તમે ફરી અપીલમાં ગયા છો એટલે જોજો. સત્ત્।ાધીશોએ પણ યાદ રાખે કે યુનિ.નું કરોડોનું FD એ વિદ્યાર્થીઓની અલગ અલગ ફીઓથી અને તેના વાલીઓએ ભરેલ ટેકસના છે. એટલે તેનો સદુપયોગ કરવામાં આવે. આ રજુઆતમા NSUIના પ્રદેશ ઉપપ્રમુખ સુરજભાઈ ડેર, રાજકોટ જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુત, ઉપપ્રમુખ અભિરાજ તલાટીયા, મીત પટેલ, મોહીલ ડવ, પાર્થ બગડા.યુથ કોંગ્રેસના મહામંત્રી મૌલેશ મકવાણા , હુસેન હીરાણી, મોહમદ બાવાણી, જીત સોની, આશિષ ગઢવી સહિત કાર્યક્રરો જોડાયા હતા. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરિયા)