પુષ્કરધામ પાસે બાંધકામ સાઇટ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ૬ વર્ષના નેપાળી બાળકનું મોત
રાજકોટ તા. ૧૪: પુષ્કરધામ રોડ પર નવા બની રહેલા વસંત કુંજ નામના બિલ્ડીંગની સાઇટ પર રહેતાં મુળ નેપાળના યમરાજ ભાટનો પુત્ર રોહિત (ઉ.વ.૬) ગઇકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ સાઇટ નીક હાજતે ગયો ત્યારે ત્યાં વરસાદને કારણે પાણીનો ખાડો ભરાયો હોઇ તેની નજીક જતાં પગ લપસતાં અંદર પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
પરિવારજનો રોહિત હાજતે જઇ લાંબા સમય સુધી પાછો ન આવતાં શોધખોળ કરવા જતાં નજીકના પાણીના ખાડામાંથી બેભાન મળ્યો હતો. તેને તાકીદે હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. તે બે ભાઇમાં નાનો હતો. માતા-પિતા બાંધકામ સાઇટ પર મજૂરી કરે છે. બનાવથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી.