રાજકોટ
News of Thursday, 14th October 2021

ગોંડલના પારસ પરમારને આપઘાત માટે મજબૂર કરનાર સાસરીયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૧૪ : ગોંડલના યુવાનને આપઘાત માટે મજબૂર કરનાર સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ ભગવતપરા વી કે નગરમાં રહેતા પારસ દિપકભાઇ પરમારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક પારસએ સાસરીયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની સ્યુસાઇડ નોટ લખી હતી જે પોલીસે કબ્જે કરી હતી.

દરમિયાન મૃતક પારસના ભાઇ સંજયભાઇએ ગોંડલ સીટી પોલીસ મથકમાં ભાઇ પારસને આપઘાત માટે મજબુર કરનાર ભાઇના સાસુ મધુબેન જીવરાજભાઇ બાબરીયા, ભાઇના સાળાના પત્ની શીતલબેન હર્ષદભાઇ બાબરીયા, ભાઇના સાળા રવિ નરેશભાઇ બાબરીયા તથા હર્ષદ જીવરાજભાઇ બાબરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક પારસની પત્નીને સાસરીયા પક્ષના તેડી જઇ પાછી ન મોકલી ફોન ઉપર ધમકી આપી શારીરિક - માનસિક ત્રાસ આપતા કંટાળી જઇ પારસે આપઘાત કરી લીધો હતો.

આ ફરિયાદ અન્વયે ગોંડલ પોલીસે આઇપીસી કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. વી.કે.વોલવેલકર તથા રાઇટર રાજદીપસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(3:04 pm IST)