રાજકોટ
News of Thursday, 14th October 2021

હે રૂડે ગરબે રમે છે... દેવી અંબિકા રે...

શ્રી નવદુર્ગા ગરબી મંડળ - ગાયત્રીનગર મેઇન રોડ જલારામ ચોક રાજકોટ ખાતે છેલ્લા ૧૮ વર્ષથી આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે સરકારના માર્ગદર્શન મુજબ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળની ૫૪ બાળાઓ માતાજીનો હિંડોળો, ઢાલ-તલવાર રાસ, મણીયારો રાસ, દીવડા રાસ સહિતની રાસની રમઝટ બોલાવે છે. બાલાભાઇ ગઢવી, ગોવિંદભાઇ જોગડા, દિનેશભાઇ વેકરીયા તેમજ કોરીયોગ્રાફર ભયલાભાઇ રાજ્યગુરૂ સેવા આપે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા રાજુભાઇ સરવૈયા, રાજુભાઇ સાવન, વિપુલભાઇ ભાલાળા, મુકેશભાઇ પરમાર, દિનેશભાઇ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ ઠાકર સહિતના કાર્યરત છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:08 pm IST)