News of Thursday, 14th October 2021
ખોડીયાર છે જોગમાયા...
રાજકોટ : આજી વસાહતમાં ખોડીયાર મંદિરે આઈ ખોડીયાર ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીની ખૂબ શ્રદ્ધાપૂર્વક ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. દરરોજ ગરબી મંડળની બાળાઓ પ્રાચીન રાસ - ગરબા રજૂ કરે છે. જેમાં ખોડીયાર માનો રાસ, ચામુંડા માનો રાસ, મોગલ આઈનો રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ નજરે પડે છે.
(3:08 pm IST)