સૌને દિવાળી - નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતા વિજયભાઈ
કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવણી
રાજકોટ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભેચ્છા પાાઠવતા જણાવ્યું છે કે, પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજિક જીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે. તેઓએ દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતા આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ઘિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ઘિવાળું નીવડે તેવી શુભેચ્છા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ. વિજય રૂપાણીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે.