રાજકોટ
News of Friday, 15th January 2021

‘કોઇનો વાંક દોષ નથી, મારી રીતે પગલું ભરૂ છું મોબાઇલમાં વિડીયો બનાવી ધવલભાઇ જળુનો ગળાફાંસો ખાઇ આપઘાત'

માધાપરમાં બનાવઃ પત્‍ની ૧પ દિ'થી માવતરે છેઃ ગેરેજના કારીગરે ઘરે આવીને જોતા ધવલભાઇ લટકતી હાલતમાં જોવા મળ્‍યાઃ કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૧પ : માધાપરના ગેઇટ પાસે જાલારામ જાંબુવાળી શેરીમાં રહેતા ગેરેજના સંચાલકે ‘કોઇનો વાંક દોષ નથી, મારી રીતે પગલુ ભરૂછુ' મોબાઇલમાં વીડીયો બનાવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છ.ે

મળતી વિગત મુજબ માધાપરના ગેઇટ પાસે જલારામ જાંબુ વાળી શેરીમાં રહેતા ગેરેજ સંચાલક ધવલભાઇ લાખાભાઇ  જળુ (ઉ.૩ર) નામના યુવાને પોતાના ઘરે દુપટ્ટો, પંખાના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ગેરેજમાં કામ કરતા કારીગર ચીરાગ પટેલે ફોન કરતા ધવલભાઇએ મોબાઇ ન ઉપાડતા તેણે ઘરે આવી દરવાજો ખોલીને જોતા ધવલભાઇ લટકતી હાલતમાં જોવા મળતા તેણે તાકીેદે આસપાસના લોકોને બોલાવ્‍યા અને કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી અસ્‍મીતાબેને તપાસ કરતા ધવલભાઇનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ રાહુલભાઇ વ્‍યાસ સિહતે સ્‍થળ પર પોહંચી તપાસ આદરી હતી

મૃતક ધવલભાઇના માતા-પિતા માણાવદરના પાજોટ ગામે રહે છે.તે પત્‍ની અને પુત્રી સાથે અઢીવર્ષથી રાજકોટમાં રહે છે. પત્‍ની ૧પ દિવસથી માવતરે હોઇ તેથી તે એકલા રહેતા હતા તેણે પોતાના મોબાઇલ ફોનમાં ‘કોઇનો વાંક દોષ નથી હું મારી રીતે પગલું ભરૂ છું' તેવો વિડીયો બનાવી આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. ગેરેજ સંચાલકે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનુંચોકકસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:44 am IST)