News of Friday, 15th January 2021
ઘરેથી નીકળી ગયેલા ઝારખંડના યુવાનનું ટ્રેનની ઠોકરે ચડી જતા મોત
માલધારી ફાટક પાસે બનાવઃ પંડીત ગઇકાલે ઘરેથી નીકળી ગયો'તો
રાજકોટ તા. ૧પઃ માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા ઝારખંડના યુવાનનું મોત નિપજયું છે.
મળતી વિગત મુજબ માલધારી ફાટક પાસે એક યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા તેનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મનહરસિંહ સહિતે સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ કરતા તે યુવાન ઝારખંડનો હાલમાં ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ પાસે રહેતો પંડીત વાસુદેવભાઇ ઉરાઓ (ઉ.વ.ર૮) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક પંડીત છભાઇમાં ત્રીજા નંબરનો હતો. તે રોલેક્ષ કંપનીમાં નોકરી કરતો હતો અને એક મહિના પહેલા તેણે નોકરી છોડી દીધી હતી. ગઇકાલે સાંજે તે ઘરેથી નીકળી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:31 pm IST)