ગાંધીગ્રામ વિસ્તારની સગીરાના અપહરણના ગુનામાં પ વર્ષથી ફરાર રક્ષીત રામાવત પકડાયો
રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી.વી.બસીયાએ ગુમ થતા અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સુચના આપતા એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પી.એસ.આઇ.એમ.એસ.અંસારી, એ.એસ.આઇ.હરપાલસિંહ ઝાલા, ચંદ્રકાંતભાઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ, બકુલભાઇ, કિશોરદાનભાઇ, ધીરેનભાઇ, જયદેવભાઇ તથા મહિલા કોન્સ ભુમીકાબેન તથા સોનુબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. હરપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ તથા બકુલભાઇ વાઘેલાને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી રક્ષીત રાજેશભાઇ રામાવતને પકડી લઇ કાર્યવાહી કરી હતી.