રાજકોટ
News of Saturday, 15th January 2022

રાજકોટના ડો. વી.જી.ગોસ્‍વામી દ્વારા કાલથી વેરાવળ શાપરમાં તબીબી સેવા

સૌરાષ્‍ટ્રના વિવિધ શહેરોમાં સરકારી ડોકટર તરીકે બહોળો અનુભવ

રાજકોટ તા. ૧૫ : સૌરાષ્‍ટ્રની વિવિધ સરકારી હોસ્‍પિટલોમાં સેવા આપી નિવૃત્ત થયેલા ડો. વી.જી.ગોસ્‍વામી દ્વારા સરદાર ચોક, વેરાવળ શાપર ખાતે તા. ૧૬ રવિવારથી વિશ્વાસ હોસ્‍પિટલનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ૫ બેડની સુવિધા છે. તેઓ ઉપરાંત ડો. એસ.પી.ગજેરા, ડો. પૃથ્‍વીરાજ કુબાવત, ડો. બી.એમ.કુબાવત, ડો. હાર્દિક ગૌસ્‍વામી વગેરે સેવા આપશે. હોસ્‍પિટલમાં તપાસવાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૮ રહેશે.
એમ.બી.બી.એસ.ની પદવી ધરાવતા ડો. વી.જી.ગોસ્‍વામી (મો. ૯૪૦૮૦ ૪૬૬૦૪) મેલેરિયા, ટાઇફોઇડ, બી.પી., ડાયાબીટીસ, એસીડીટી, ચામડીના રોગ, શરીરના વિવિધ ભાગોના દુઃખાવા, શ્વાસ, દમ, ઝાડા-ઉલ્‍ટી વગેરેની સારવારના બહોળા અનુભવી છે. તેમણે રાજકોટ, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, વંથલી વગેરેમાં મેડીકલ ઓફિસર તરીકે સેવા આપી છે. તેમના નવા સોપાન બદલ શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(12:13 pm IST)