લગ્નની લાલચ આપી બદકામ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
રાજકોટ તા. ૧પઃ લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.
આ કામના ફરીયાદીઃ કરણભાઇ ભગીરથભાઇ સુયંવંશીએ રાજકોટ શહેરના ''માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (એન) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધીનીયમ-ર૦૧ર ની કલમ ૬ મુજબની ફરીયાદ કરેલી.
ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધીકારી આરોપી ગોપાલ ઉર્ફે બળદેવ રસીકભાઇ સોલંકીની ધરપકડ કરેલી અને રજુ કરતા, જેલ હવાલે રહેલા આરોપીએ પોકસો કોર્ટમાં જામીન અરજી ગુજારતા, કેસની હકીકત અને બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાનમાં લઇને નામદાર જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ (સ્પે. પોકસો કોર્ટના) જજ કે. ડી. દવેએ આરોપીને રૃા. ૧પ,૦૦૦/-નો શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ બોરીચા, વિજયભાઇ ડી. બાવળીયા, મનીષાબેન પોપટ, પ્રકાશભાઇ એ. કેશુર, હરેશભાઇ રાઠોડ, વિજયભાઇ સોંદરવા, સી. એચ. પાટડીયા, એન. સી. ઠકકર, અહેશાન એ. કલાડીયા વગેરે રોકાયેલા હતા.