News of Saturday, 15th January 2022
વેરા શાખા લાલઘુમ : યાજ્ઞીક રોડ-પ્રમુખ સ્વામી આર્કેડ-પેડક રોડ વિસ્તારમાં ૧૫ મિલ્કતો સીલઃ ૧૪ને જપ્તીની નોટીસ
રાજકોટ : મ.ન.પા. ᅠદ્વારા મિલ્કત વેરાના બાકીદારો પાસેથી મિલ્કત વેરો વસુલવા માટે બનાવાયેલ ખાસ રિકવરી સેલ દ્વારા આજે ત્રણેય ઝોનમાં બાકીદારો પાસેથી વેરો વસુલવા સપાટો બોલાવતા પેડક રોડ પર બે કોમર્શીયલ બિલ્ડીંગ, પ્રમુખ સ્વામી આર્કેટમાં પાંચમા માળે ૨-કોમર્શીયલ બિલ્ડીંગ તથા યાજ્ઞીક રોડ પર આવેલ તારા જ્વેલર્સના ૩ યુનિટ સહિત કુલ ૫ મિલ્કતો સીલ કરવામાં આવી છે. જ્યારે ૧૪ મિલ્કતોને જપ્તીની નોટીસ આપવામાં આવી હતી. અને રૂા. ૧૪.૧૦ લાખની વસુલાત કરવામાં આવી હતી. (૨૨.૫૪)
(4:34 pm IST)