રાજકોટ
News of Thursday, 15th April 2021

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા આંબેડકર વંદના

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૦ મી જન્મ જયંતિ નિમિતે સફાઇ કામદાર જગૃતિ મંડળ તથા યુવા જાગૃતિ મંડળ દ્વારા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી વંદન કરવામાં આવ્યા હતા. આ તકે મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા, મંત્રી મનસુખભાઇ વાઘેલા, ઉપપ્રમુખ અશોકભાઇ બારૈયા, કાર્યાલય મંત્રી ભાર્ગવભાઇ વાઘેલા, યુવા જાગૃતિ મંડળના પ્રમુખ રાજેશભાઇ વાઘેલા, ઉપપ્રમુખ કૌશિક સોઢા, રાહુલ બારૈયા, વિમલ વાળોદરા, પ્રકાશ વાઘેલા, સમાજ આગેવાન ખીમજીભાઇ જેઠવા, બાવનભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ ઝાલા, દેવજીભાઇ સોઢા, બટુકભાઇ વાઘેલા, શ્યામભાઇ વાઘેલા, કિરણભાઇ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)