રાજકોટ એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાના માતુશ્રીનું અવસાનઃ સોમવારે ટેલિફોનીક બેસણું
બાર દિવસ પહેલા પિતા ગુમાવ્યા'તાઃ દિયોરા પરિવારમાં શોક
રાજકોટઃ લુણધર (તા. બોટાદ) નિવાસી ગોૈ.વા. ગોૈરીબેન કાનજીભાઇ દિયોરા (ઉ.વ.૭૮) તેઓ ગોૈ.વા. કાનજીભાઇ ધરમશીભાઇ દિયોરાના ધર્મપત્નિ તથા પ્રવિણભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૭૦૧૬૭ ૪૫૮૭૪), જયેશભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૯૪૨૭૪ ૩૨૯૦૫) તથા એસીપી પશ્ચિમ રાજકોટ શહેર પ્રમોદભાઇ કાનજીભાઇ દિયોરા (મો. ૯૯૨૫૦ ૨૦૧૨૮)ના માતુશ્રી તથા ચેતન પી. દિયોરા, દર્શન જે. દિયોરા, નિલ જે. દિયોરા અને રિધમ પી. દિયોરાના દાદીમા આજે તા.૧૫/૫ના રોજ ગોૈલોકવાસ પામ્યા છે. ઠાકોરજી તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે સ્વજનોએ પ્રાર્થના કરી હતી.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લોૈકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું સોમવારે ૧૭મીએ સવારે ૯ થી સાંજના પઃ૦૦ સુધી રાખવામાં આવ્યું છે. હજુ ગત ૩/૫ના રોજ એસીપીશ્રી દિયોરાના પિતાશ્રી કાનજીભાઇ દિયોરાનું અવસાન થયું હતું. બાર જ દિવસના ગાળામાં હવે તેમણે માતા પણ ગુમાવ્યા છે. ટુંકા ગાળામાં જ પિતા-માતા બંનેની છત્રછાંયા ગુમાવતાં દિયારા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.