News of Tuesday, 15th June 2021
પડતર પ્રશ્નો અંગે કેજરીવાલ સાથે ચર્ચાઃ અજીત લોખીલ
રાજકોટઃ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે શ્રી અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઈટાલિયા, શ્રી ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવજીનાં નેતૃત્વમાં પ્રદેશ સંગઠન મંત્રીઓ સાથે યોજાએલ મીટીંગમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ખેત પેદાસોનું યોગ્ય વળતર ન મળવું, મોંઘા બિયારણ, ખાતર જેવી અનેક સમસ્યા વિષે અને શિક્ષણ- સ્વાસ્થ્ય સેવાઓમાં થતી બેફામ લૂંટ બાબતે અરવિંદ કેજરીવાલ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજીત લોખિલ (મો.૯૦૬૭૭ ૭૮૮૯૪)એ જણાવ્યું હતું.
(3:16 pm IST)