News of Tuesday, 15th June 2021
૧૮ થી ૪૪ વર્ષની વય જુથ માટે રસીકરણ કેન્દ્ર માટે માત્ર બે કોલેજોમાં જ વ્યવસ્થા
તંત્રએ ૨૦ કોલેજોની જાહેરાત કરી હતી પરંતુ રસીકરણ કેન્દ્ર માટે જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી
રાજકોટ : મ.ન.પા.એ ૧૮ થી ૪૪ વર્ષની વય જુથમાં આવતા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય વ્યકિતઓ માટે ૨૦ કોલેજોમાં રસીકરણ કેન્દ્ર ખોલવા જાહેરાત કરી હતી પરંતુ તેમાં તંત્રને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. કેમકે હવે માત્ર બે કોલેજોમાં જ યુવાઓ માટે રસીકરણ કેન્દ્રની વ્યવસ્થા થઇ રહી છે જ્યાં ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના કોઇપણ નાગરિકો લઇ શકશે.
આમ હવે યુવાઓમાં પણ રસીકરણ માટે જોઇએ તેવો ઉત્સાહ નથી દેખાઇ રહ્યો તેવું તારણ નીકળી રહ્યું છે.
(3:55 pm IST)