News of Wednesday, 15th June 2022
રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રવિવારે ‘રઘુવંશી ક્રાંતિ યાત્રા'
રેસકોર્ષ મેદાનથી પ્રારંભ : કાર અને બાઇક સહીતના વાહનો જોડાશે
રાજકોટ તા. ૧૫ : રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આગામી તા. ૧૯ ના રવિવારે રાજકોટમાં કાર અને બાઇક રેલી સાથે ‘રઘુવંશી ક્રાંતિ યાત્રા'નું આયોજન કરાયુ છે. જ્ઞાતિ એકતા અને સંગઠનને મજબુત કરવાના હેતુથી યોજાયેલ આ રઘુવંશી ક્રાંતિ યાત્રા રેસકોર્ષ મેદાન ખાતેથી તા. ૧૯ ના રવિવારે સવારે ૯ વાગ્યે પ્રારંભ થશે. વધુને વધુ રઘુવંશીઓ જોડાય તે માટે પત્રિકા દ્વારા પ્રચાર પ્રસારનું કાર્ય ધમધમતુ કરાયુ છે. આ માટે મો.૮૩૦૬૪ ૨૩૮૬૮ ઉપર સંપર્ક કરવા પત્રિકામાં જણાવાયુ છે. સમગ્ર રઘુવંશી ક્રાંતિ યાત્રાને સફળ બનાવવા ધવલભાઇ કાછેલા, મોહીતભાઇ સંઘાણી, કુલદીપભાઇ રઘુવંશી, પાર્થભાઇ જોબનપુત્રા, જયભારતભાઇ ધામેચાના નેતૃત્વ હેઠળ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
(2:46 pm IST)