રાજકોટ
News of Wednesday, 15th June 2022

યુવા ભાજપ દ્વારા સાહિત્‍ય વિતરણ

  દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ‘સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ' ના માધ્‍યમથી વિવિધ સેવાકાર્યો હાથ ધરી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા કિશાનપરા ચોક ખાતે વિવિધ સરકારી યોજનાઓના પ્‍લે કાર્ડ બતાવી લોકજાગૃતિ લાવવા સાહિત્‍ય વિતરણ પણ કરાયુ હતુ. આ તકે શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર અને યુવા ભાજપ મોરચાની ટીમ સાથે જોડાઇ હતી.

 

(4:30 pm IST)