રાજકોટ
News of Monday, 15th August 2022

ન્યારી-૨ ડેમનાં ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલાયા - ડેમની હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના

ગોવિંદપર, ખામટા, મોટા રામપર, તરઘડી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા અનુરોધ

રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલો ન્યારી-૨ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે. હાલ ડેમમાં કુલ ૧૪ દરવાજા આવેલા છે, જેમાંથી ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલવામાં આવેલ છે, હાલ ૭૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, મોટા રામપર, તરઘડી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે

 

(8:00 pm IST)