રાજકોટ
News of Wednesday, 15th September 2021

પોપટપરામાં નાલા પાસેથી તણાયેલ મહિલાની લાશ મળી

રાજકોટ : આજે પરસાણાનગર શેરી ન, 4માં રહેતા ખીમાબેન રતનભાઈ મોટવાણી ( ઉ,વ, 50 ) આજે ઘરેથી નીકળી મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં પાણીના વહેણમાં પગ લપસી જતા તણાઈ ગયા હતા જયારે બપોરે તેની પોપટપરાના સ્મશાન પાછળથી પાણીમાંથી લાશ મળી હતી

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે ડેડબોડી બહાર કાઢી હતી

 

(6:27 pm IST)