શ્રી સુમતિનાથ જિનાલયની કાલે ધજાના આદેશોની ઉછામણી
યુનિ. રોડ શ્વે.મુ. જૈન તપગચ્છ સંઘના સંગેમરમરના : તા. ૨૮મીના રોજ ૮મી સાલગીરા : અઢાર અભિષેક તથા ધજા ચડાવાશે : પ્રભુજીને ભવ્ય આંગી
રાજકોટ,તા.૧૫: યુનિ. રોડ શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘના સંગેમરમરના શ્રી સુમતિનાથ ભગવાનના નૂતન જિનાલયની આગામી તા. ૨૮મીના ગુરૂવારે આઠમી સાલગીરી ઉજવાશે.
શ્રી સમુતીનાથ જિનાલયની ધજાના આદેશની ઉછામણી આગામી તા. ૧૭ના રવિવારે સવારે ૧૦:૧૫ કલાકે મધુહીરા ઉપાશ્રયમાં શરૂ થશે. જેમાં રંગમંડપ, અધિષ્ઠાયક ભવન તથા દેવ-દેવીની ધજાની ઉછામણી કરવામાં આવશે.
તા. ૨૮મીના ગુરૂવારશ્રી સુમતિનાથ જિનાલયની આઠમી સાલગીરા અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે. મુળનાયક શ્રી સુમતિનાથ પ્રભુજીની કાયમી ધજાના લાભાર્થી કંચનબેન પ્રભુદાસ હિરાચંદ તુલસીભાઇ જસાણી પરિવાર, શ્રી શાંતિનાથ પ્રભુજીની ધજાના લાભાર્થી નિલમબેન જયકાંતભાઇ પ્રેમચંદભાઇ વાઘર પરિવાર તથા ઇલાબેન દિનેશભાઇ પારેખ પરિવાર છે. જ્યારે શ્રી સુવિધિનાથ પ્રભુજીની ધજાના લાભાર્થી લત્તાબેન કાંતિલાલ મહેતા પરિવાર છે.
તા. ૨૮મીના સવારે ૧૦ વાગે અઢાર અભિષેક ત્યારબાદ બપોરે ૧૨ કલાકે ધજારોહણ થશે.