રાજકોટ
News of Saturday, 16th January 2021

રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં સૌપ્રથમ ડો. ચિરાગ માત્રાવડિયાએ વેકસીન મુકાવી

રાજકોટની જાણીતી ખાનગી હોસ્પિટલોમાં સૌપ્રથમ વૉકહાર્ટ wockhardt હોસ્પિટલના આઈસીયુના વડા ડૉ ચિરાગ માત્રાવડિયાએ આજે બપોરે કોરોના વેકસીનનો પ્રથમવ 7બ7  7 ડોઝ લીધો હ તો. ચિરાગભાઈએ દૂરદર્શનના એન્કર ઋષિ દવેને જણાવેલ કે રસી લીધા પછી મને કોઈ જ તકલીફ થઈ નથી, કોઈ દુખાવો થયો નથી. કોઈ પણ ભય રાખ્યા વિના અચૂક વેકસીન મુકવી લેજો. કેટલાકને સામાન્ય દુખાવો કે સામાન્ય તાવ જેવી અસર થાય તે સહજ છે, તેનાથી ગભરાવાનું નથી. આપણા માટે, દેશ માટે, સમાજ માટે અને હર્ડ ઇમ્યુનિટી સર્જવા વેકસીન જરૂરથી લઇ લેજો. તેના ફાયદા ઘણા છે.... ચિરાગભાઈ નો ઇન્ટરવ્યૂ દૂરદર્શન નેશનલ ઉપર ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ચિરાગભાઈ (9825219013) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(8:37 pm IST)