નાડોદાનગરમાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા
રાજકોટઃ ડીસીબીના હેડકોન્સ ક્રીપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ દેવાભાઇ ધરજીયાને મળેલ બાતમી આધારે નાડોદાનગર શેરી નં ૦૭ મંદીર પાસે જંગલેશ્વર ખાતે જાહેરમાં ગંજીપત્તાનાનો જુગાર રમતાં ૪ શખ્સો રવિ અરવિંદભાઇ પરમાર ઉવ ૨૨ ધંધો શાકભાજીનો, વિપુલ અરવિંદભાઇ પરમાર જાતે દે.પૂ ઉવ ૨૫ ધંધો મજુરી, નાનજી વિઠલભાઇ મકવાણા ઉ.વ.૩૮ ધંધો.બકાલાનો અને હેમા ડાહ્યાભાઇ સંખેશ્વરીયા ઉ.વ.૩૦ ધંધો. બકાલાનો (રહે તમામ નાડોદાનગર શેરી નં ૦૭ રખાદાદા ના મંદીર પાસે નદીના કાઠે ઓરડીમાં જંગલેશ્વર)ને પકડી રોકડ રૂ. ૧૨૫૪૦ કબ્જે કર્યા છે.
પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ ક્રાઇમ ડી.વી.બસીયા તરફથી મળેલી સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા ગઢવી તથા ક્રીપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ભરવાડ તથા જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ સહિતએ આ કામગીરી કરી હતી.