News of Wednesday, 16th June 2021
રાજકોટ કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અતુલ રાજાણી "આપ" માં જોડાઈ રહ્યાની ભારે ચર્ચા : '૧૦૮' નો ઇનકાર
રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને ૧૦૮ તરીકે પ્રજામાં નામના ધરાવતા અતુલ રાજાણી ટૂંક સમયમાં જ ઈશુદાન ગઢવીના પગલે રાજકારણમાં જોડાઈ રહ્યાની ભારે ચર્ચા છે. જોકે અકિલા સાથેની વાતચીતમાં તેમણે આ વાત નકારી કાઢી હતી.
કોંગ્રેસના કાર્યક્રમોમાં તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં રાજાણી જોવા મળ્યા હતા તે પહેલા કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા મળતા ન હોઈ આ વાતને વેગ મળ્યો હતો.
(9:19 pm IST)