કોડીનાર પંથકની માસુમ બાળા ઉપર બળાત્કાર અને કરપીણ હત્યાના આરોપીને ફાંસી આપો
કલેકટરને આવેદન : દશનામ અતિત યુવા સેના દ્વારા સૂત્રોચ્ચાર-દેખાવો
કોડીનારના જત્રાખડી ગામે બનેલી બળાત્કાર-હત્યાની ઘટના સામે સાધૂ-સમાજ-દશનામ અતિત યુવા સેનાએ કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યુ હતું
રાજકોટ,તા. ૧૬ : દશનામ અતિત યુવા સેના રાજકોટ એકમે કલેકટરે આવેદન પાઠવી ગોસ્વામી સમાજની માસુમ દિકરીના બળાત્કાર અને હત્યાના આરોપીને સખતમાં સખત સજા થાય અને યોગ્ય ન્યાય મળે તે બાબતે રજુઆતો કરી હતી.દશનામ ગોસ્વામી સમાજની જત્રાખડી, તા.કોડીનાર જિ. ગીર સોમનાથની ૮ વર્ષીય દિકરી ઉપર આજ ગામના નરાધમ શામજી ભીમા સોલંકીએ પાશવી દુષ્કર્મ આચરી અને હત્યા કરી છે. આ બનાવથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજમાં ભારે રોષ વ્યાપો છે. ત્યારે સ્થાનીક પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલીક કાર્યવાહી કરી નરાધમ આરોપીને પકડી પાડેલ છે.આ આરોપીને સખતમાં સજા થાય અને ફાંસીની સજા પડે અને ભવિષ્યમાં આવું જધન્ય અપરાધના થાય તેવો દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા આપને વિનંતી છે.