રાજકોટ
News of Tuesday, 16th November 2021

માલધારીમાં યુવાન રામજી પરમારનો ઝેર પી આપઘાતઃ બે મહિના પહેલા સગાઇ થઇ'તી

રાજકોટ તા. ૧૬: જુના માર્કેટ યાર્ડ પાસે કરણાભાઇના ગાર્ડન પાછળ માલધારી  મફતીયાપરામાં રહેતાં રામજી મોમભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામના ભરવાડ યુવાને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

રામજી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. પશુપાલન કરવા સાથે માર્કેટ યાર્ડમાં મજૂરી પણ કરતો હતો. તેના પિતા હયાત નથી. પરિવારજનોના કહેવા મુજબ બે અઢી મહિના પહેલા જ તેની સગાઇ રાજકોટની યુવતિ સાથે થઇ હતી. રામજીને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ હતું નથી. બી-ડિવીઝનના હેડકોન્સ. અશ્વીનભાઇ રાઠોડે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(2:38 pm IST)