રાજકોટ
News of Tuesday, 16th November 2021

દાઉદી વ્હોરા સમાજ દ્વારા પૂ. જલારામ બાપાની વંદના

 જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ. તે પ્રસંગ દાઉદી વ્હોરા સમાજના આગેવાનોએ જઇ ભાવ વંદના કરી હતી. જન્મોત્સવ સમિતિના હોદેદારો રાજુભાઇ પોબારૂ, રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, રાકેશભાઇ રાજદેવ, અશોકભાઇ હિન્ડોચા, નવીનભાઇ છગ, કલ્પેશભાઇ તન્ના, મનીષભાઇ ઠકકર, રમણભાઇ કોટક, પિયુષભાઇ કુંડલીયાનું અભિવાદન કરી સફળ આયોજન બદલ મુબારકબાદી પાઠવી હતી. કોમી એકતા અને સદ્દભાવનાના આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના આગેવાનો યુસુફભાઇ જોહર કાર્ડસવાળા, શાકીરભાઇ કાચવાલા, અબ્બાસભાઇ ત્રવાડી, જાબીરભાઇ લોટીયા, શબ્બીરભાઇ કાચવાલા ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)