રાજકોટ
News of Tuesday, 16th November 2021

બાલભવનમાં બાળદિનની ઉજવણીઃ

દેશમાં પ્રથમ પ્રધાનમંત્રી અને બાળકોના પ્રિય જવાહરલાલ નહેરૂનો જન્મદિન એટલે કે ૧૪ નવેમ્બર બાળદિન તરીકે આખા ભારત દેશમાં વિવિધ રીતે ઉજવાયો. બાલભવન રાજકોટ દ્વારા બાળકોની મનપસંદ રાઇડસ જેવી કે હોન્ડા સવારી, હેલીકોપ્ટર રાઇડસનાં બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપી મજા કરાવાઇ હતી. વ્યવસ્થા બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા કરાઇ હતી. બાલસભ્યો સાથે શહેરના તમામ ૧૬ વર્ષ સુધીના અંદાજે ૧૮૦૦ જેટલા બાળકોએ રાઇડસની મજા માણી હતી. બાળકો અને વાલીઓ આ આયોજન બદલ બાલભવનના ઓફીસ સુપ્રીન્ટેન્ડેટ કિરીટભાઇ વ્યાસ તથા સમગ્ર બાલભવન પરિવારનો આભાર માન્યો હતોે.

(3:18 pm IST)