News of Sunday, 17th January 2021
રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર દરમ્યાન આજે 2 દર્દીઓએ દમ તોડયો
રાજકોટ : શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં એક જ રાતમાં 2 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.16નાં સવારનાં 8 વાગ્યા થી તા.17lનાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 2 દર્દીઓએ દમ તોડી દીધા હતા . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2306 બેડ ખાલી છે. હાલ જિલ્લામાં 98 માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.
(11:39 am IST)