રાજકોટ
News of Sunday, 17th January 2021

મોરબી રોડ વેલનાથપરા નજીક પુલ પરથી પટકાતાં યુવાનનું મોતઃ બાઇક અથડાયા બાદ પટકાયો

મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડમાં પૂજનરાજ ચાવડા, આનંદનગર કોલોની લખેલુ છે

રાજકોટઃ આજે સવારે મોરબી રોડ વેલનાથપરા નજીક પુલ પર બાઇક અથડાયા બાદ યુવાન નીચે પટકાતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતકની ઉમર આશરે ૩૦ વર્ષ છે. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું છે તેમાં પૂજનરાજ નિલેષભાઇ ચાવડા-રહે. શ્રીનગર મેઇન રોડ, આનંદ નગર કોલોની પાછળનું એડ્રેસ છે. બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(11:55 am IST)