અમદાવાદ - પટનાની ટ્રેનને રાજકોટ સુધી લંબાવોઃ રામભાઇ
રાજકોટ તા. ૧૭: રાજકોટથી પટના પ્રતિ દિન રોજ ગાડી નં. ૧૨૯૪૮/૧૨૯૪૭ ને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવા રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા દ્વારા રજુઆત કરાઇ છે.
જેમાં તેઓએ જણાવેલ કે યુપી અને બિહારના અને શ્રમિકો અને કર્મચારીઓ જેઓ મોટી સંખ્યામાં રાજકોટમાં વસવાટ કરે છે. તેમનું એક પ્રતિનિધિ મંડળ મને રજુઆત કરેલ છે કે, અમદાવાદથી પટના ચાલતી ગાડી ટ્રેન નં. ૧૨૯૪૮ ને રાજકોટ સુધી લંબાવવા માટે રજુઆત કરેલ હતી. તેના અનુસંધાને રેલમંત્રીશ્રીને રજુઆત કરી અમદાવાદ પટનાની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે રજુઆત કરી છે. અને રેલમંત્રીએ પણ આ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી છે. આ ટ્રેન રાજકોટ સુધી લંબાઇ તો રાજકોટમાં વસતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારથી રોજગાર માટે આવેલા લાખો માણસોને આમનાથી લાભ મળશે. સૌરાષ્ટ્રમાં વસતા યુપી બિહાર અને રાજસ્થાનના મજદૂરોને આમનો ફાયદો મળશે. ઉપરોકત બાબતે તાત્કાલિક નિર્ણય કરવા રેલ મંત્રીશ્રીએ અધિકારીઓને સુચના આપેલ હોવાનું શ્રી મોકરીયાએ યાદીના અંતમાં જણાવ્યું છે.