રાજકોટ
News of Monday, 17th January 2022

આગામી કાર્યક્રમો અંગે ભાજપની બેઠક

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેેઠળ આગામી તા.ર૦ના સમગ્ર ગુજરાતભરમાં એકસાથે ભારતીય જનતા પાર્ટી  દ્વારા તમામ જિલ્લા–મહાનગરોના મંડલની બેઠક યોજાનાર છે ત્યારે આગામી વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખ અને 'મન કી બાત' કાર્યક્રમના મહાનગરના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન અપાયું હતું. ભાજપ દ્વારા વિવિધ અગ્રણીઓ દ્વારા વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે  આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનાત્મક બાબતો અંતર્ગત બેઠક યોજાશે. તેમજ આગામી તા.ર૬ જાન્યુઆરીના રોજ પ્રજાસતાક દિન અંતર્ગત પ્રજાસતાક પર્વની ઉજવણી કોરોનાની ગાઈડલાઈનને ઘ્યાનમાં રાખી શહેર ભાજપ  કાર્યાલય ધ્વજવંદન– તીંરંગાને સલામી આપીને  કરી કરવામાં આવશે. તે સહીતની માહીતી અપાઇ હતી. તેમજ આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી દ્વારા 'વન ડે– વન ડીસ્ટ્રીકટ' કાર્યક્રમ યોજાનાર હોય તેની રૂપરેખા ઘડવામાં આવી હતી. બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ કરેલ. આ બેઠકમાં તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ સંભાળી હતી.

(3:31 pm IST)