વિજયભાઇના સારા સ્વાસ્થ્ય માટે અખંડ નવકાર મહામંત્રના જાપ શરૂ
રાજકોટ : જૈન સમાજના પનોતા પુત્ર એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઝડપથી પૂનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરે તે માટે રાજકોટના વિવિધ જૈન ધર્મ સ્થાનોમાં નવકાર મહામંત્રના અખંડ જાપ જૈન વિઝન દ્વારા શરૂ કરાવવામાં આવેલ છે. ગઇ કાલે રોયલ પાર્ક સંઘ દ્વારા અખંડ જાપનો પ્રારંભ કરેલ. સંઘના આગેવાન સી.એમ. શેઠ ડોલરભાઇ કોઠારી, શૈલેષભાઇ માઉ સહીતના આગેવાનો ઉપસ્થિત રહેલ. આજે જૈન ચાલ સ્થાનકવાસી જોડાશે. દરેક આરાધકોને સોનમ કવાર્ટઝ જયેશભાઇ શાહ તરફથી વોલ કલોક આપી અનુમોદન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના મિલન કોઠારી, ચંદ્રકાન્તભાઇ શેઠ, જયોતિન્દ્રભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ દેસાઇ, પ્રવિણભાઇ કોઠારી, એડવોકેટ પંકજભાઇ કોઠારી, અમિનેષભાઇ રૂપાણી, એડવોકેટ અનિલભાઇ દેસાઇ, એડવોકેટ કમલેશભાઇ શાહ, ડોલરભાઇ કોઠારી, ભરતભાઇ દોશી, સુનિલભાઇ શાહ, જય ખારા, ધીરેન ભરવાડા, મનોજ ડેલીવાળા વગરેે જહેમત ઉઠાવી રહ્યા છે.